PM Garib Kalyan Anna Yojana: શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?- જાણો સંપૂર્ણ માહિતી.

PM Garib Kalyan Anna Yojana: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં લાભાર્થીઓને સીધો ફાયદો થાય તેવી પણ યોજનાઓ બનાવેલ છે. જેમ કે, વિધવા સહાય યોજના હેઠળ દર મહિને લાભાર્થીઓને 1250/- સહાય મળે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000/- ની સહાય મળે છે. પરંતુ દેશના નાગરિકોને પ્રાથમિક જરુરિયાત ભોજન માટે મફત અનાજ પણ આપવામાં આવે છે. તો ચાલો આજે આપણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે માહિતી મેળવીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Garib Kalyan Anna Yojana: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નાગરિકોને મફત અનાજ આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ કેવી રીતે કરશે તેની વિગતો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અધિનિયમ 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને લાભ મળશે. નવેમ્બર 2023 માસમાં તમને કેટલું અનાજ મળશે તેની વિગતો જાણો.

PM Garib Kalyan Anna Yojana

રાજ્યના અંદાજીત 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ આપવામાં આવે છે. PM Garib Kalyan Anna Yojana હેઠળ મફત અથવા સબસિડીવાળા અનાજની જોગવાઈ કરવામાં આવે છે. ચાલો આ આર્ટિકલ દ્વારા નવેમ્બર 2023 માં ઉપલબ્ધ તમામ અનાજ વિશે વાત કરીએ.

રાજ્યના અંદાજીત 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ આપવામાં આવે છે. PM Garib Kalyan Anna Yojana હેઠળ મફત અથવા સબસિડીવાળા અનાજની જોગવાઈ કરવામાં આવે છે. ચાલો આ આર્ટિકલ દ્વારા નવેમ્બર 2023 માં ઉપલબ્ધ તમામ અનાજ વિશે વાત કરીએ.

  • આર્ટિકલનું નામ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
  • આર્ટિકલની ભાષા: ગુજરાતી અને અંગ્રેજી
  • યોજનાનું નામ: PM Garib Kalyan Anna Yojana
  • મળવાપાત્ર લાભ: શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?
  • માહિતી કેવી રીતે ચેક કરવી?: ઓનલાઈન
  • ઓફિશિયલ વેબસાઈટ: https://ipds.gujarat.gov.in/

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

 ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે. જેમાં નવેમ્બર-2023 મહિના માટે ઘઉં અને ચોખાના મફત વિતરણ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

અનાજકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

અન્ય વિશેષ નોંધ

PM Garib Kalyan Anna Yojana હેઠળ ઓક્ટોબર 2023 માં પણ વેચાણ કરવામાં આવેલ છે. સબંધિત જિલ્લાની વાજબી કિંમતની દુકાન પર બાજરી/જુવારના બાકીના જથ્થાનું વેચાણ પૂર્ણ કરવામાં આવેલ છે. હવે નાગરિકો બાજરી/જુવારની જગ્યાએ ઘઉંનો જથ્થો પણ મેળવી શકાય છે.

આ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અગત્યની માહિતી આપવામાં આવેલ છે. જેમાં રાહત દરે ચણા, મીઠું અને ખાંડના વિતરણને લગતી યોજના બનાવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

રાહત દરની ચીજવસ્તુકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા
ચણાN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)રેશન કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)તમામ N.F.S.A. કુટુંબો અને બીપીએલ કુટુંબોરેશન કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.15
ખાંડBPL કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22

Also Read: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ઘરે બેઠા અરજી કરો

One Nation One Ration Card | વન નેશન, વન રેશનકાર્ડ

કેંદ્ર સરકાર વન નેશન, વન રેશન કાર્ડ ના લક્ષ્યાંક પર કાર્ય કરી રહી છે. ગુજરાત અથવા ભારતના અન્ય રાજ્યોના કોઈપણ ગામ અથવા નગરમાંથી NFSA માંથી રાશન મેળવી શકશે. અન્ય સ્થળના નાગરિકો વ્યવસાય માટે અન્ય ગામ અથવા શહેરમાં રહેતા લાભાર્થી બીજા શહેરોમાં જાય છે. તો આ કાર્યક્રમ અંતર્ગત તેઓ રાજ્યભરના કોઈપણ ગામ અથવા નગરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાંથી મફત અનાજ (ઘઉં અને ચોખા) મેળવી શકે છે.

Important Links

મળવાપાત્ર જથ્થો ચેક કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પોર્ટલ અહીં ક્લિક કરો

Mera Ration App Download । મોબાઇલ એપ્લિકેશન “માય રાશન”

રાજ્યના તમામ લાભાર્થીઓને ન્રમ વિનંતી કરવામાં આવે છે કે, તેઓ “Mera Ration App” પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરે. તમે આ એપનો ઉપયોગ કરીને તમારા અનાજના જથ્થા, ડિલિવરી ખર્ચ, પ્રાપ્ત જથ્થા અને ઓનલાઇન રસીદની વિગતો વિશે માહિતી મેળવી શકો છો.

તમારા રેશનકાર્ડ પર મળવાપાત્ર “જથ્થા” પર ક્લિક કરીને અને રેશન કાર્ડ નંબર દાખલ કરીને, કોઈપણ લાભાર્થી https://ipds.gujarat.gov.in/ પોર્ટલ દ્વારા તેમની પાસે ઉપલબ્ધ અનાજના જથ્થા વિશે માહિતી મેળવી શકે છે.