Helpline Number: બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, બોર્ડની પરીક્ષામાં માર્ગદર્શન માટે નંબર જાહેર, આ તારીખથી પરિક્ષઓ શરુ થશે.

બોર્ડની પરીક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને ટોલ ફ્રી Helpline Number શરૂ કરાશે જ્યાં વિદ્યાર્થીઓ કે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બોર્ડની પરીક્ષામાં માર્ગદર્શન માટે Helpline Number જાહેર

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને લઈને રાજ્યમાં ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ હેલ્પલાઈન શરૂ કરાશે. જેના દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપશે. આ નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. નોંધી લો નંબર:

વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે 1800 233 5500 ટ્રોલ ફ્રી નંબર

જ્યારે અમદાવાદના DEOએ સારથી Helpline Number જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

આ પણ વાચો: ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર, તો રાહ શેની જુઓ છો અત્યારેજ જાણો

જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે

વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે.