CBSE Board Exam: વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, CBSE બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં આવતા વર્ષથી થશે આ મોટો ફેરફાર!, જાણો વિગતવાર માહિતી

CBSE Board Exam: CBSE વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (National Education Policy 2020)ની અસર આગામી સત્ર 2025-26થી બોર્ડની પરીક્ષાઓમાં સંપૂર્ણ રીતે જોવા મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર – CBSE Board Exam

CBSE વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (National Education Policy 2020)ની અસર આગામી સત્ર 2025-26થી બોર્ડની પરીક્ષાઓમાં સંપૂર્ણ રીતે જોવા મળશે. તે મુજબ વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ને આગામી શૈક્ષણિક સત્ર 2025-26 થી વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા પર કામ કરવા સૂચના આપી છે. CBSE શૈક્ષણિક કેલેન્ડર કેવી રીતે બનાવવું તે અંગે વિચારણા કરી રહ્યું છે જેથી કરીને અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષાના સમયપત્રકને અસર કર્યા વિના બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર આયોજિત કરી શકાય.

શિક્ષણ મંત્રાલયે CBSEને તૈયારી કરવા કહ્યું

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, “શિક્ષણ મંત્રાલયે સીબીએસઈને વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ કેવી રીતે યોજવી તે અંગે કામ કરવા કહ્યું છે. બોર્ડ તેના પર કામ કરી રહ્યું છે અને આવતા મહિને શાળાના આચાર્યો સાથે કાઉન્સેલિંગ બેઠક યોજવામાં આવશે.” આચારસંહિતા હટાવ્યા પછી, સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ બે વાર આયોજિત કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ શાળાઓ સાથે વાત કરશે.

આ પણ વાચો: ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે

વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનું કારણ

વાસ્તવમાં, આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બોર્ડની પરીક્ષાઓને તણાવમુક્ત બનાવવા અને વિદ્યાર્થીઓને વધુ તકો અને લાભો આપવાનો છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ ઘણીવાર એ વિચારીને તણાવમાં આવે છે કે તેમનું એક વર્ષ વેડફાઈ ગયું, તેમની તક જતી રહી અથવા તેઓ વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. તેથી માત્ર એક જ તકના ડરથી સર્જાતા તણાવને ઘટાડવા માટે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની યોજનાને ફગાવી દેવામાં આવી છે.