Bank Overdraft: શુ તમારુ એકાઉન્ટ ખાલીખમ થઇ ગયુ છે તો ચિંતા નહીં, ઈમરજન્સીમાં આવી રીતે 10 હજાર રૂપિયા મેળવી શકો છો

Bank Overdraft Latest News: મુશ્કેલીના સમયે ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તે 10,000 રૂપિયા ઉપાડી શકાય છે, જાણો કઈ રીતે ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શુ તમારુ એકાઉન્ટ ખાલીખમ થઇ ગયુ છે તો ચિંતા નહીં, ઈમરજન્સીમાં આવી રીતે 10 હજાર રૂપિયા મેળવી શકો છો – Bank Overdraft

Bank Overdraft : જો તમે નવું બેંક ખાતું ખોલાવવા જઈ રહ્યા છો, તો ચોક્કસપણે પૂછો કે શું તમને તેના પર ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે. આ સાથે જો તમારી પાસે પહેલેથી ખાતું હોય તો પણ તમારી બેંકમાંથી તેના વિશે પૂછપરછ કરો. મુશ્કેલીના સમયે ઓવરડ્રાફ્ટ અથવા OD સુવિધા તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જે લોકો પાસે જન ધન ખાતું છે તેમને આ સુવિધા મળે છે. આજે આપણે જાણીશું ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તે કેવી રીતે મેળવવી ?

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે જે બેંક તમને ઓફર કરે છે. જો કે તેની ખાસ વાત એ છે કે, આ માટે તમારે બેંકમાં જઈને ફોર્મ ભરવાની કે રાહ જોવાની જરૂર નથી. તમને ત્વરિત OD (ઓવરડ્રાફ્ટ) સુવિધા મળે છે. તમે કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. જોકે તમને કેટલા પૈસા મળશે તે અગાઉથી નક્કી કરવામાં આવે છે.

શું છે ઓવરડ્રાફ્ટ (OD)ના નિયમો ?

દરેક બેંક ઓવરડ્રાફ્ટ (OD) ની રકમ અલગ રીતે નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈની પાસે જન ધન ખાતું છે, તો તેને ઓવરડ્રાફ્ટ (Bank Overdraft) હેઠળ 10,000 રૂપિયા મળી શકે છે. તે વ્યક્તિ આ પૈસા સીધા ATMમાંથી ઉપાડી શકે છે. ઓવરડ્રાફ્ટ હેઠળ પૈસા ઉપાડવા માટે તમારા ખાતામાં પૈસા રાખવાની જરૂર નથી. જો જન ધન ખાતું ધરાવનાર વ્યક્તિના ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તે 10,000 રૂપિયા ઉપાડી શકે છે. ત્યારબાદ તેણે આ રકમ વ્યાજ સહિત પરત કરવાની રહેશે. નોંધનીય છે કે, ઓવરડ્રાફ્ટ (OD) માત્ર રૂ. 10,000 માટે નથી. ઘણી બેંકો આ રકમ કરતાં વધુ માટે ઓવરડ્રાફ્ટ (OD) એકાઉન્ટ ઓફર કરે છે. પરંતુ તમારે તે ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવાનું પણ ધ્યાન રાખવું પડશે.

આ પણ વાચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓને માત્ર 2 જ વર્ષમાં લખપતિ બનાવી દેશે, જાણો આ સ્કીમનો લાભ કેવી રીતે મેળવશો

ઓવરડ્રાફ્ટ (OD) પર કેટલું હશે વ્યાજ ?

જન ધન ખાતા પર મળેલ ઓવરડ્રાફ્ટ (Bank Overdraft) પરનું વ્યાજ 2 થી 12 ટકાની વચ્ચે હોઈ શકે છે. તે વિવિધ બેંકો પર નિર્ભર રહેશે પરંતુ વ્યાજ 12 ટકાથી વધુ નહીં હોય. જો બેંકની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા 50,000 રૂપિયા છે અને ગ્રાહકે તેમાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા છે, તો માત્ર 10,000 રૂપિયા પર વ્યાજ લેવામાં આવશે, 50,000 રૂપિયા પર નહીં. કટોકટીની પરિસ્થિતિઓમાં જ ઓવરડ્રાફ્ટ (OD)નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.