Agriculture Minister Statement: ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્રારા મોટી આગાહી કરવામા આવી છે. ત્યારે આખા જગતનો તાત ખેડૂત ચિંતામા મુકાયો છે. ત્યારે માવઠાની આગાહીને લઇને ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું એક મહત્વનુ (Agriculture Minister Statement) નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, માવઠાને લઇને રાજ્યના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી છે.
- માવઠાની આગાહીને લઇને કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યુ
- કૃષિમંત્રી: ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી
- ‘ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે
અમદાવાદના દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યુ હતુ કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપવામા આવ્યુ છે.
Agriculture Minister Statement: કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
અમદાવાદના દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Statement) કહ્યુ હતુ કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપવામા આવ્યુ છે. DAP ખાતરની અછત વીશે રાઘવજી પટેલે જણાવ્યું કે, DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાતમા પહોંચી ચૂક્યો છે. DAP ખાતર હવે ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતોને મળી રહેશે.
વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે તા. 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેને લઈને કાલે તા, 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમા વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, આણંદ, અરવલ્લી, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે, સુરેન્દ્ર નગર, રાજકોટ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અને અમરેલીમા,પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી, 2થી 3 ઇંચ થઇ શકે છે વરસાદ , જુઓ કયા-કયા વિસ્તારો પર સંકટ
ખેડૂતોને સતર્ક કરાયા
આજે તારીખ. 24 થી 28 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજ્કોટ, ડીસા સહિતના શહેરોમાં માવઠાની આગાહીને લઈ જે પણ ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તે પોતાના માલને તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના એપીએમસી દ્વારા આપવામા આવેલ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે.