Matdar yadi sudharana karyakram gujarat :ચૂંટણીઓ બંધારણીય જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે, જે સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ દ્વારા પૂરક છે. મુખ્ય કાયદાઓ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ કે જે મુખ્યત્વે મતદાર યાદીની તૈયારી અને સુધારણા સાથે સંબંધિત છે અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ કે જે ચૂંટણીના આયોજન અને ચૂંટણી પછીના વિવાદોના તમામ પાસાઓ સાથે વિગતવાર અભ્યાસ કરી તેના નિવારણની કાર્યવાહી હાથ ધરે છે.
Matdar yadi sudharana karyakram 2023
ભારતના ચુંટણીપંચ, નવી દિલ્હીએ તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષ્તિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃતિઓ તથા સુધારણા કાર્યક્રમ દરમ્યાન કરવાની થતી પ્રવૃતિઓની રૂપરેખાનો કાર્યક્રમ તા.૨૯/૦૫/૨૦૨૩ના પત્રથી મોકલી આપેલ છે, જે કાર્યક્રમ નીચે મુજબ છે.
ક્રમ | પ્રવૃતિ | સમયગાળો |
૧ | સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ | તા.૧૭/૧૦/૨૦૨૩ (મંગળવાર) |
૨ | હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો | તા.૧૭/૧૦/૨૦૨૩ (મંગળવાર) થી ૩૦/૧૧/૨૦૨૩ (ગુરૂવાર) |
૩ | ખાસ ઝુંબેશની તારીખો | તા.૨૮/૧૦/૨૦૨૩ (શનિવાર) તા.૨૯/૧૦/૨૦૨૩ (રવિવાર) તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર) તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર) |
૪ | હક્ક-દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ | તા.૨૬/૧૨/૨૦૨૩ (મંગળવાર) સુધીમાં |
૫ | ૧) મતદારયાદીનાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રધિધ્ધિ માટે ચુંટણીપંચની પરવાનગી મેળવવી. ૨) ડેટા-બેઝ અદ્યતન કરવો અને પુરવણી યાદીઓ જનરેટ કરવી | તા.૦૧/૦૧/૨૦૨૪ (સોમવાર) સુધીમાં |
૬ | મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ | તા.૦૫/૦૧/૨૦૨૪ (શુક્રવાર) |
ચૂંટણીઓ, બંધારણીય જોગવાઇઓ અનુસાર તથા સંસદ દ્વારા તે બંધારણીય જોગવાઇઓને અનુરૂપ ઘડવામાં આવેલ કાયદાઓ અનુસાર યોજવામાં આવે છે. મુખ્ય કાયદાઓ પૈકી (૧) લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ – મતદારયાદીઓ તૈૈૈૈયાર કરવી અને મતદાર યાદીમાં સુધારણા બાબતની જોગવાઇઓ ધરાવે છે, જયારે (૨) લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ – ચૂંટણી સંચાલનના તમામ પાસાંઓ તથા ચૂંટણી પૂરી થયા બાદના વિવાદો અંગેની બાબતો / પાસાંઓને વિગતવાર આવરી લે છે.
મતદારયાદીમાં નામની નોંધણી, ચૂંટણી સંચાલન તથા મતદારના ફોટો ઓળખપત્ર બાબતની માહિતી લોકજાગૃતિ માટે તથા લોકો મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરાય તે હેતુસર આ વેબસાઇટમાં આવરી લેવામાં આવેલ છે.
મતદારો તથા લોકોને આ તકનો લાભ લેવા તથા આ વેબસાઇટની સુધારણા માટે તેને વધુ પારદર્શક તથા નાગરિકલક્ષી (Citizen Friendly) બનાવવા તેઓના મંતવ્યો / સૂચનો આપવા વિનંતી કરવામાં આવે છે.
મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન વિશે
દેશમાં સક્રિય લોકશાહી નાગરિક બનાવવાના તેના સતત પ્રયાસોને આગળ વધારતા, ભારતના ચૂંટણી પંચે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકોમાં જાણકાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે. આ એપનો ઉદ્દેશ્ય દેશભરના મતદારોને સિંગલ પોઈન્ટ ઓફ સર્વિસ અને માહિતી પહોંચાડવાનો છે. એપ ભારતીય મતદારોને નીચેની સુવિધાઓ પૂરી પાડે છે.