PM Awas Yojana: PM આવાસ યોજનામાં ફોર્મ ભરતી વખતે આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને જો ભૂલ થઈ તો ફોર્મ રદ થઈ જશે

Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં સસ્તું ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે. ફોર્મ ભરતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ તેના વિશે જાણકારી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Awas Yojanaમાં ફોર્મ ભરતી વખતે આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  1. કોઈ વ્યક્તિ એકથી વધારે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ થઈ જશે.
  2. 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો તે રદ થશે.
  3. ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે, જો ફોર્મ અધુરું હશે તો પણ તે રદ થશે.
  4. વાર્ષિક 3 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકો ફોર્મ ભરશે તો તેમનું પણ ફોર્મ રદ થશે.
  5. અનાતમ કેટેગરીના અરજદારોએ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત કરેલી રકમ ફોર્મ સાથે જોડવાનું રહેશે. જો નકલ નહીં જોડવામાં આવે તો ફોર્મ રદ થશે.
  6. ફોર્મમાં ભરેલી માહિતી ખોટી જણાય તો પણ તે રદ થશે.
  7. રહેઠાણ અને ઓળખ બંનેના પુરાવા જરૂરી રહેશે. જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે, જ્યારે રહેણાંકના પુરાવામાં સરનામું દર્શાવતું હોવું ફરજિયાત છે. જો દસ્તાવેજમાં આ માહિતી ન હોય તો પણ તે રદ થશે.

PM Awas Yojanaનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદારનો ફોટો
  • અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • અરજદારની બેન્ક કેન્સલ ચેક
  • ઓળખ પુરાવો
  • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
  • અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
  • BPL કાર્ડની કોપિ
  • સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે.

આ પણ વાંચો: હોળી પહેલા આ સરકારી બેંકે કરી મોટી જાહેરાત, લોન લઈને મકાન બનાવનારાઓને સસ્તા દરે મળશે લોન

PM Awas Yojana માં કઈ કઈ સુવિધાઓ મળશે?

સરકારની જાહેરાત મુજબ, આ PM Awas Yojana માં આકર્ષક એલિવેશન, વિટ્રીફઆઈડ ટાઈલ્સ, મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ, પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, પરકોલેટીંગ વેલ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, સોલાર પેનલ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ, કેમ્પસમાં આર.સી.સી રસ્તા, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ, સ્ટ્રીટ લાઈટ તથા પીએનજી કનેક્શન મળશે.