Electoral Reform 2023-24: આપણી પાસે રહેલા ગવર્ન્મેન્ટ આઇ.ડી. પૈકી ચૂંટણી કાર્ડ એ આપણા માટે ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. જે લોકોના મતદાર યાદિ મા નામ નોંધાયેલા હોય તેમની પાસે ચુંટણી કાર્ડ હોય છે. મતદાર યાદિ મા નામ હોય તે લોકોને ચૂંટણીઓમા મત આપવાનો અધિકાર છે. સામાન્ય રીતે દરેક વર્ષ મા 2 વખત આ મતદાર યાદિમા (Electoral Reform 2023-24) સુધારા વધારા કરવા માટે ખાસ ઝૂંબેશ ઈલેકશન કમીશન ડિપાર્ટમેન્ટ તરફથી યોજવામા આવે છે. આગામી દિવસોમા આવનારી લોકસભાની ચુંટણી પહેલા મતદાર યાદિ મા સુધારણા માટે ખાસ ઝૂંબેશ યોજવામા આવી છે.
મતદારયાદિ સુધારણા (Electoral Reform 2023-24)
વર્ષ 2024 ના એપ્રીલ-મે માસમા લોકસભાની ચુંટણીઓ યોજવામા આવી રહી છે. તે પહેલા ઈલેકશન કમીશન દ્વારા મતદાર યાદિમા સુધારા વધારા કરવા માટે ખાસ ઝૂંબેશ યોજ્વામા આવી છે. જેમા મતદાર યાદિ સુધારણા ને લગતા નીચેના જેવા કામ લોકો કરાવી શકશે.
- મતદાર યાદિમા નામ, સરનામુ વગેરેમા સુધારો કરાવવો
- ચુંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંંક કરાવવુ
- મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવુ
- મતદારયાદિ મા નોંધાયેલી વિગતો મા સુધારો કરાવવો
- મતદારયાદિમા થી નામ કમી કરાવવુ
મતદારયાદિ સુધારણા (Electoral Reform 2023-24)
- તારીખ 1-1-2024 ના રોજ જે લોકોની ઉમર 18 વર્ષ કે તેનાથી વધુ હોય તે લોકો મતદારયાદિ મા પોતાનુ નામ નોંધાવી શકે છે. મતદાર યાદિમા જો તમારૂ નામ નોંધાયેલુ ન હોય તો અચૂક નોંધાવવુ જોઇએ. મતદાન એ આપણો રાજકીય અધિકાર છે.
ખાસ ઝૂંબેશ ના દિવસો
આ દિવસોમા તમારા વિસ્તારના ચુંટણી બુથ પર તમારા વિસ્તારના લાગુ પડતા બી.એલ.ઓ. પાસે જઇ તમે Electoral Reform 2023-24 મતદાર યાદિ ને લગતા કામો તમામ કામો કરાવી શકો છે. આ કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબ ખાસ ઝૂંબેશ ના દિવસો નક્કી કરવામ આવ્યા છે.
- તારીખ 5 નવેમ્બર 2023- રવિવાર
- તારીખ 26 નવેમ્બર 2023- રવિવાર
- તારીખ 2 ડિસેમ્બર 2023- શનીવાર
- તારીખ 3 ડિસેમ્બર 2023- રવિવાર
આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝૂંબેશના દિવસોમા તમે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાર યાદિ ને લગતા તમામ કામ માટે તમારે તમારા વિસ્તારના ચુંટણી બુથ પર જવાનુ રહેશે.
મતદાર યાદિ સુધારણા ફોર્મ
આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામો માટે નીચે મુજબના ફોર્મ ભરવાના રહે શે.
- ફોર્મ નં. 6 : જો તમારે મતદારયાદિ મા નવુ નામ દાખલ કરવુ છે તો તે માટે તમારે આ ફોર્મ ભરવાનુ રહેશે. .
- ફોર્મ નં. 6(B) : જો તમારે તમારુ ચુંટણી કાર્ડ સાથે તમારુ આધાર કાર્ડ લીંક કરવુ છે તો તે માટે આ ફોર્મ ભરવાનુ રહેશે..
- ફોર્મ નં. 7: જો કોઈ વ્યક્તિ મુત્યુ પામ્યા હોય અને તેમનુ નામ મતદાર યાદિ માથી નામ કમી કરાવવુ હોય તો તે માટે તમારે આ ફોર્મ ભરવાનુ રહેશે.
- ફોર્મ નં.8: મતદાર યાદિ મા નોંધાયેલી વિગતો સુધારવા માટે તમારે આ ભરવાનુ રહેશે.
Important Link
Voter Helpline App | Download Now |
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવા | અહી ક્લિક કરો |
મતદાર યાદિ સુધારણા ઓનલાઇન
- મતદાર યાદિ ને લગતા આ કામો માટે જો તમે રૂબરૂ બુથ પર જવા ન માગતા હોય અને ઘરેબેઠા ઓનલાઇન આ કામો કરવા માંગતા હોય તો nvsp પોર્ટલ પર થી આ તમામ કામો ઓનલાઇન કરી શકો છો.
હોમપેજ : અહિ ક્લિક કરો