Earthquake Today: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે તબાહીનો વિડીયો

Earthquake Today: આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Earthquake Viral Video: 3 નવેમ્બરની મોડી રાત્રે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake in Delhi-NCR) અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના મતે ભૂકંપનું કેન્દ્ર ભારતનો પાડોશી દેશ નેપાળ (Earthquake in Nepal) હતો. ભૂકંપ બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં ભયંકર અરાજકતા જોવા મળી હતી. ઘણી જગ્યાએ મકાનો કાટમાળમાં ધસી ગયા હતા.

Earthquake Today: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર

AP ના અહેવાલ મુજબ નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. નેપાળના રુકુમ જિલ્લાના પોલીસ અધિકારી નામરાજ ભટ્ટરાઈએ ટેલિફોન દ્વારા AP ને જણાવ્યું કે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. આ સિવાય નેપાળના સ્થાનિક અધિકારી હરીશ ચંદ્ર શર્માએ રોયટર્સને જણાવ્યું કે જાજરકોટમાં ભૂકંપના કેન્દ્ર પર કોઈ સંપર્ક નથી. જો કે જિલ્લામાં 17 લોકોના મોતના સમાચાર છે. અને 20 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પાણ વાચો :- રાજ્યમાં 27 ઓક્ટો.થી 9 ડિસે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ 128 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે. આ ભૂકંપના કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. આ સાથે ત્યાંના લોકોમાં પણ ભારે ભય છે.

યુએસ જીઓલોજિકલ સર્વે વિભાગે નેપાળમાં ભૂકંપની ઊંડાઈ માત્ર 18 કિલોમીટર હોવાનું જણાવ્યું છે. આ ભૂકંપ શુક્રવારે (3 નવેમ્બર) રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં રામીદાંડા હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને ફોટામાં નેપાળમાં લોકો ધરાશાયી થયેલા ઘરો અને ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે અંધારામાં કાટમાળ ખોદી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન 5 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.